ગુજરાત સરકારે કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY લોન્ચ કરી : નવા એડમિશન સાથે જ યોજનાનો અમલ. સ્કિલ્ડ જનરેશન તૈયાર કરવા ગુજરાત સરકારે અમદાવાદમાં કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી છે. જેની સાથે રાજ્યની અનેક કોલેજ-ઈન્સ્ટિટ્યૂટનું પણ જોડાણ થયેલું છે. આ યુનિવર્સિટીમાં શિક્ષણ માટે આર્થિક સ્તરે પછાત, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને તક ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીશ્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના– MKPYને શ્રમ અને રોજગાર વિભાગે લોન્ચ કરી છે. આ યોજના હેઠળ આ શૈક્ષણિક વર્ષથી જે વાલીની વાર્ષિક આવક રૂપિયા ૮ લાખ સુધીની હશે તેમના સંતાનોના શિક્ષણ માટેની ફીમાં સરકાર ૫૦ ટકા માફી આપશે.
કૌશલ્ય પ્રોત્સાહન યોજના પર એક નજર
યોજનાનું નામ | કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY |
યોજના શરુ કરનાર | ગુજરાત સરકાર |
લાભાર્થી | જે વાલીની વાર્ષિક આવક રૂપિયા ૮ લાખ સુધીની હશે તેમના સંતાનો |
યોજનાનો અમલ | આ શૈક્ષણિક વર્ષથી |
આર્ટિકલ નું નામ | ગુજરાત સરકારે કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY લોન્ચ કરી |
આર્ટિકલની કેટેગરી | Yojana , Sarkari Result |
કયા કયા કોર્સ ચાલે છે?
રાજ્યના શ્રમ અને રોજગારી વિભાગના નાયબ સચિવ આર. સી. જાડેજાની સહીથી MKPVના અમલ માટે
પ્રસિદ્ધ ઠરાવમાં અમદાવાદ સ્થિત સ્કિલ યુનિવર્સિટી જ નહિ પરંતુ તેની સાથે જોડાયેલી અર્થાત એફિલેટેડ સેલ્ફ ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂટને પણ આવરી લેવાયા છે. વિતેલા બે વર્ષથી આ યુનિવર્સિટી દ્વારા ડિમાન્ડ આધારિત સ્કીલ્ડ પર્સન તૈયાર કરવા નીચે પ્રમાણે કોર્સ ચાલી રહ્યા છે.
- સ્નાતક
- અનુસ્નાતક
- ડિપ્લોમા
- પ્રમાણપત્ર કક્ષાના અભ્યાસક્રમો
- ડ્રોન ટેકનોલોજી
- બેંકિંગ
- ક્લાઉડ
- લોજીસ્ટિક
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- સાઈબર સિક્યોરિટી
- સ્ટીલ ટેકનોલોજી
- ટ્રાન્સપોર્ટ એન્ડ મોબિલિટી
- ડિઝાઈન
- હાઉસ કિલિંગ
- લેબલ લો
- બીબીએ
- બીસીએ
- બીકોમ
- પોસ્ટ ગ્રેજ્યુએશન
- માસ્ટર્સ
બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના સંતાનો માટે નિશુલ્ક શિક્ષણ આપવા સરકારે નિર્ણય પણ કર્યો છે. ૧૨મી મે ૨૦૨૩ના રોજ ઉપસચિવ વિજય સાંગડિયાની સહીથી પ્રસિદ્ધ ઠરાવમાં નોંધાયેલા શ્રમિકોના વધુમાં વધુ બે સંતાનો માટે ફી રિએમ્બર્સ કરી આપવા અર્થાત મફત શિક્ષણ આપવા કહેવાયું હતું. ત્યારબાદ ૨૯મી મે ૨૦૨૩ના રોજ MKPVના અમલનો ઠરાવ પ્રસિદ્ધ થયો છે. જેમાં વાર્ષિક ૮ લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના સંતાનો માટે વાર્ષિક રૂ.૩૦,૦૦૦ કે કુલ ફીના ૫૦ ટકા આ બેમાંથી જે ઓછું હોય તે ધોરણે સ્લોરશીપ આપવા કહેવાયું છે. જે માટે પ્રવેશ લાયકાતની પરીક્ષાના ૫૦ ટકા કે તેથી વધુ ગુણાંક સાથે પરીક્ષા પાસ કરેલી હોય અનિવાર્ય છે.
મહત્વપૂર્ણ લિંક્સ
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- GDS 5th Merit List 2023 declared : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ઉમેદવારોનુ પાંચમુ મેરિટ લીસ્ટ જાહેર, તમારું નામ ફટાફટ ચેક કરો
- PM Mudra Loan Yojana 2023 : ભારત સરકાર એકદમ ઓછા વ્યાજે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ આપી રહી છે રૂપિયા 50,000 થી 10 લાખ સુધી લોન, જાણો કેવી રીતે
- IBPS RRB Reqruitment 2023 : ગ્રામીણ બેંકમાં 8612 જગ્યાઓ માટે ભરતી જાહેર
- Birth Certificate Online : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો, હવે ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકાય છે
- TAT Exam Study Materials : આવનાર ટાટ પરિક્ષાનું મટીરીયલ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરો
FAQs
કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો હેતુ શું છે?
કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો હેતુ – આર્થિક સ્તરે પછાત, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને તક ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીશ્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના– MKPYને શ્રમ અને રોજગાર વિભાગે લોન્ચ કરી છે.
કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY નો લાભ શું છે?
આ યોજના હેઠળ આ શૈક્ષણિક વર્ષથી જે વાલીની વાર્ષિક આવક રૂપિયા ૮ લાખ સુધીની હશે તેમના સંતાનોના શિક્ષણ માટેની ફીમાં સરકાર ૫૦ ટકા માફી આપશે.
કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો અમલ ક્યારથી થશે?
કૌશલ્ય પ્રોત્સાહન યોજનાનો અમલ આ શૈક્ષણિક વર્ષથી થશે.
5 thoughts on “ગુજરાત સરકારે કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY લોન્ચ કરી : વાલીની વાર્ષિક આવક આઠ લાખ સુધી હશે તો સ્કિલ યુનિ.માં ભણવા ૫૦ % ફી માફ !”